કર્ણાવતીમાં ભાજપા ઉત્તર ઝોનની બેઠક, બૂથ સ્તરે વિજયનો મંત્ર આપ્યો
Views: 23
1 0

Read Time:2 Minute, 50 Second

ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગર ખાતે ઉત્તર ઝોનના ભાજપા પદાધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગેવાનો અને કાર્યકર્તાઓને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શ્રી વિશ્વકર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું કે ભાજપાનો દરેક કાર્યકર્તા ‘રાષ્ટ્રપ્રથમ’ના વિચાર સાથે સતત જનસેવામાં કાર્યરત રહે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેવા શક્તિશાળી નેતૃત્વ સાથે ભાજપા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે કાર્ય કરી રહી છે.

તેમણે કાર્યકર્તાઓને હાકલ કરી કે વિકાસના મંત્ર સાથે દરેક બૂથમાં વિજયના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને લોકો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને કામગીરીની સચોટ માહિતી પહોંચાડે. સાથે જ વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતા અપપ્રચાર અને ભ્રામક નેરેટિવ સામે સોશિયલ મીડિયાના પ્રભાવશાળી ઉપયોગ દ્વારા સત્ય જનતા સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું. વિશ્વકર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે કાર્યકર્તાઓના પરિશ્રમ અને મજબૂત ટીમવર્કના આધારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાને પ્રચંડ જનાદેશ મળશે.બેઠકમાં ગોરધનભાઈ ઝડફીયા દ્વારા ચૂંટણી વ્યવસ્થાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, અજયભાઈ બ્રહ્મભટ્ટ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મનીષભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઈ શાહે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે અમદાવાદ જિલ્લા ભાજપા અધ્યક્ષ શૈલેષભાઈ દાવડાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *