N Coverage

News Website

હાથીજણમાં ખારી નદીમાં ગટરનું પાણી છોડવાનો આક્ષેપ, ખેડૂતો-રહિશોમાં રોષ

Views: 157
2 0
Spread the love

Read Time:2 Minute, 51 Second

અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા હાથીજણ ગામના ટીપી-77 વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ખારી નદીમાં છોડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક રહીશો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે લાઇન નાખી ગટરનું પાણી સીધું નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ કાર્યવાહી નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના વિરુદ્ધ છે. જેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડવાના સાથે સાથે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને આ ગંદા પાણીમાંથી આવતી દુર્ગંધને કારણે આસપાસના લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

વિસ્તારમાં આવેલી ભારત સરકાર માન્ય નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ આ પરિસ્થિતિથી પ્રભાવિત થઈ રહ્યા છે. ગંદકી અને દુર્ગંધને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ખતરો ઉભો થયો છે, જે મુદ્દે વાલીઓ અને સંચાલકોમાં પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.ખેડૂતોનું કહેવું છે કે ગટરનું પાણી ખારી નદીમાં છોડાતા ખેતી માટેના પાણીની ગુણવત્તા ખરાબ થઈ રહી છે, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. સાથે જ આ પાણીથી ચેપજન્ય રોગો ફેલાવાની શક્યતા પણ વધી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love