ચૂંટણી જાહેરાત થયા પહેલા આપ પાર્ટીમાં વધુ એક ભંગાણ
Views: 15
0 0

Read Time:2 Minute, 48 Second

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે. ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીમાં વધુ એક મોટું ભંગાણ સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે અનેક આપ નેતાઓ કોંગ્રેસમાં જોડાતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે.આ પ્રસંગે આપ પાર્ટીના મહામંત્રી અને ખજાનચી તરીકે કાર્યરત તેમજ સીએ તરીકે પ્રેક્ટિસ કરતા જયદીપ પંડ્યા કોંગ્રેસમાં જોડાયા હતા. તેમની સાથે આપ પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી ભાવેશભાઈ કાતરિયા અને કચ્છ વિસ્તારના આગેવાન નારણભાઈ કાનાણી પણ કોંગ્રેસમાં સામેલ થયા .

આ પ્રસંગે અમિત ચાવડાએ ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનમાં પ્રજા પરેશાન છે અને હવે લોકોમાં અસંતોષ ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં આરોપ મૂક્યો કે આપ પાર્ટી ભાજપની “બી ટીમ” તરીકે કાર્ય કરી રહી છે.જયદીપ પંડ્યાએ કોંગ્રેસમાં જોડાતા જણાવ્યું હતું કે ભણેલા અને સમજદાર લોકો રાજનીતિમાં આગળ આવે તે સમયની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે છેલ્લા 13 વર્ષથી તેઓ રાજકારણમાં સક્રિય છે અને રાહુલ ગાંધીના વિચારો થી પ્રભાવિત થઈ કોંગ્રેસ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે.આ ઉપરાંત ઉમરેઠ વિધાનસભા બેઠકના પેટા ચૂંટણી મુદ્દે પણ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવશે, જે દાવેદારોની વાત સાંભળી પેનલ તૈયાર કરશે. ત્યારબાદ આ પેનલ હાઇકમાન્ડને સોંપવામાં આવશે અને કોંગ્રેસ ઉમરેઠ બેઠક પર ચૂંટણી લડશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *