N Coverage

News Website

ગુજરાતીઓને અપમાનજનક નિવેદન મુદ્દે ભાજપનો પ્રહાર, કોંગ્રેસ પર ઉગ્ર આક્ષેપ

Views: 97
1 0
Spread the love

Read Time:5 Minute, 28 Second

ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા આજે જાહેર કરાયેલ પ્રેસનોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે કર્ણાવતી મહાનગર ભાજપા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.ડૉ. પટેલે જણાવ્યું હતું કે કરોડો ગુજરાતીઓને ‘અભણ અને મૂર્ખ’ કહેવું માત્ર શબ્દોનો ઉપયોગ નથી, પરંતુ 6.5 કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. તેમણે આ નિવેદનને ગુજરાતની અસ્મિતા અને ગરિમાનો ઘોર અપમાન ગણાવ્યો હતો. તેમણે સવાલ કર્યો કે શું કોંગ્રેસને ગુજરાતીઓ પ્રત્યે કોઈ વેરભાવ છે ગુજરાતીઓની મહેનત, બુદ્ધિ અને દેશપ્રેમને અવગણવાની માનસિકતા કોંગ્રેસમાં કેમ છે

તેમણે આગળ કહ્યું કે ગુજરાતે દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી, ડૉ. વિક્રમ સારાભાઈ અને કનૈયાલાલ મુનશી જેવા મહાન વ્યક્તિત્વો આપ્યા છે. આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભારત વૈશ્વિક સ્તરે મજબૂત બન્યું છે, જે કોંગ્રેસને સહન થતું નથી. તેમણે કોંગ્રેસને 2014થી સત્તા ગુમાવ્યા પછી “જલ બિન મછલી” જેવી સ્થિતિમાં હોવાનું પણ જણાવ્યું.ડૉ. પટેલે કોંગ્રેસના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે નેહરુના સમયમાં સરદાર પટેલનો વિરોધ થયો હતો, ઇન્દિરા ગાંધીને સત્તાથી દૂર કરનાર મોરારજી દેસાઈ પણ ગુજરાતમાંથી હતા અને હવે સતત ત્રણ વખત મોદી-શાહની જોડીએ કોંગ્રેસને પરાજિત કરી છે. આ બધાના કારણે કોંગ્રેસમાં ગુજરાત પ્રત્યે ખીજ જોવા મળે છે.તેમણે મલ્લિકાર્જુન ખડગે પર પ્રહાર કરતાં કહ્યું કે તેઓ કદાચ રાહુલ ગાંધી દ્વારા લખાયેલી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. ખડગેજીના નિવેદનોમાં ગુજરાત પ્રત્યે નફરત દેખાય છે. અગાઉ પણ વડાપ્રધાન મોદીને ‘100 માથાવાળા રાવણ’ કહી ચૂકેલા ખડગે હવે વધુ આક્રમક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે તાજેતરમાં આસામમાં ભાજપ અને આરએસએસ અંગે આપેલા નિવેદનોથી પણ તેમની ભાષા અને વિચારસરણી સ્પષ્ટ થાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love