અમદાવાદ ગ્રામ્ય: તીનપત્તી જુગાર રમતા 09 ઇસમો રોકડ રૂ. 29,500 સાથે ઝડપાયા
અમદાવાદ જિલ્લાના દસ્કોઈ તાલુકાના ઓડગામ વિસ્તારમાં જાહેરમાં પૈસા-પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા 9 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ તથા નાયબ પોલીસ અધિક્ષક આસ્થા રાણા ના માર્ગદર્શન હેઠળ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેના અનુસંધાને અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ અને આધારીત માહિતી મળી હતી કે ઓડગામ ગામે ઇન્દિરા આવાસની પાછળ, પંચરત્ન-2 નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસા-પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. માહિતીના આધારે પોલીસ ટીમે સ્થળ પર રેઇડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.રેઇડ દરમિયાન કુલ 9 ઇસમો જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. આરોપીઓની અંગજડતી દરમિયાન રૂ. 25,500/- રોકડ રકમ તથા દાવ ઉપર મુકાયેલ રૂ. 4,000/- મળી આવી હતી. ઉપરાંત 52 નંગ ગંજીપત્તા પાના પણ કબ્જે કરવામાં આવ્યા હતા. આમ કુલ રૂ. 29,500/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં બી.ગુ.ર.નં. 11192002260268/2026 મુજબ જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓ:સુરજભાઇ ભુપેન્દ્રભાઇ પંડ્યા (ઉ.વ. 34) – ડ્રાઇવિંગ – ઓડગામનવનીતભાઇ દિલીપભાઇ વાઘેલા (ઉ.વ. 30) – મજૂરી – ઓડગામવિષ્ણુભાઇ ફુલાભાઇ વાઘેલા (ઉ.વ. 35) – મજૂરી – ઓડગામકિરણભાઇ ધનજીભાઇ વાઘેલા (ઉ.વ. 29) – મજૂરી – ઓડગામઅજયભાઇ ધનજીભાઇ વાઘેલા (ઉ.વ. 28) – મજૂરી – ઓડગામવિશાલભાઇ હસમુખભાઇ સોલંકી (ઉ.વ. 22) – મજૂરી – પિરાણા ગામરાહુલભાઇ રતીલાલભાઇ વાઘેલા (ઉ.વ. 38) – મજૂરી – ઓડગામહસમુખભાઇ રમેશભાઇ વાઘેલા (ઉ.વ. 37) – મજૂરી – ઓડગામઅનિરુદ્ધભાઇ ઇશ્વરભાઇ સોલંકી (ઉ.વ. 27) – મજૂરી – ઓડગામ
કાર્યવાહી કરનાર અધિકારીઓ:
પો.ઇન્સ. એ.પી. ચૌધરીપો.સબ.ઇન્સ. આર.એસ. રબારીઅ.હે.કો. અનિરુદ્ધ આયદાન (બ.નં. 664)અ.પો.કો. વિનોદભાઇ મનુભાઇઆ.પો.કો. દિપકસિંહ બહાદુરસિંહ (બ.નં. 209)આ.લો.ર. બલવીરદાન હસુદાન (બ.નં. 044)
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો