ડાકોર પદયાત્રા ગુજરાતની આસ્થાનો મહામાર્ગ ગણાય છે. દર વર્ષે હજારો ભક્તો પગપાળા યાત્રા કરીને શ્રી રણછોડરાયજી મંદિર ખાતે દર્શનાર્થે પહોંચે છે. આ યાત્રા માત્ર ભક્તિનો પ્રતિક નથી, પરંતુ સેવા, સમર્પણ અને માનવતાનો પણ જીવંત ઉત્સવ છે. આવી પવિત્ર યાત્રા દરમિયાન “જય શ્રી નેજાધારી ફાર્મ હાઉસ સેવા કેમ્પ” છેલ્લા 25 વર્ષથી અવિરત રીતે યાત્રાળુઓની સેવા કરી રહ્યો છે, જે સમાજ માટે ગૌરવની બાબત છે.
આ સેવા કેમ્પના મુખ્ય આયોજક મેપાભાઈ જીવણભાઈ ભરવાડ અને તેમનો સમસ્ત પરિવાર છે. તેઓએ યાત્રાળુઓની સુવિધા અને આરામને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરી હતી. આજે 25 વર્ષ બાદ પણ એ જ ઉત્સાહ, શ્રદ્ધા અને નિઃસ્વાર્થ ભાવ સાથે આ કેમ્પ સતત ચાલુ છે. “યાત્રાળુ સેવા એ જ ભગવાનની સેવા” એ સંકલ્પ સાથે ભરવાડ પરિવાર દર વર્ષે યાત્રાળુઓ માટે હાફ ડાકોર માર્ગ પર સેવા કેમ્પનું આયોજન કરે છે.સેવા કેમ્પમાં યાત્રાળુઓ માટે સવારે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. વહેલી સવારે યાત્રા શરૂ કરનારા ભક્તોને તાજગી મળે અને તેમની શક્તિ જળવાઈ રહે તે માટે ગરમ ચા અને સ્વાદિષ્ટ નાસ્તો પીરસવામાં આવે છે. બપોરે સાત્વિક અને શુદ્ધ જમવાની વ્યવસ્થા રાખવામાં આવે છે, જેમાં યાત્રાળુઓને પ્રસાદરૂપે ભોજન અપાય છે. લાંબી યાત્રા બાદ બપોરનું ભોજન ભક્તો માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે.
રાત્રે પણ સંપૂર્ણ જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ રહે છે, જેથી દિવસભર ચાલ્યા બાદ યાત્રાળુઓ આરામથી ભોજન કરી શકે. ખાસ કરીને ગરમાગરમ ભજીયાની સેવા યાત્રાળુઓમાં ખૂબ લોકપ્રિય છે. ચા સાથે ભજીયાનો સ્વાદ યાત્રાળુઓને ઘર જેવી લાગણી અપાવે છે. આ તમામ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક અને નિઃસ્વાર્થ ભાવથી આપવામાં આવે છે.ફક્ત ભોજન જ નહીં, પરંતુ કેમ્પમાં યાત્રાળુઓ માટે આરામ કરવાની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. લાંબી પગપાળા યાત્રા દરમિયાન થાકેલા ભક્તોને થોડીવાર આરામ મળે તે માટે છાવણી, પાણી અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વડીલો, મહિલાઓ અને બાળકો માટે આ વ્યવસ્થા ખાસ લાભદાયી સાબિત થાય છે.25 વર્ષથી સતત ચાલતી આ સેવા માત્ર પરંપરા નથી, પરંતુ સંસ્કાર અને સમર્પણનો જીવંત દાખલો છે. ભરવાડ પરિવાર કોઈ પ્રસિદ્ધિ કે પ્રચારની અપેક્ષા વિના દર વર્ષે આ પવિત્ર કાર્ય કરે છે. સ્થાનિક લોકો તેમજ યાત્રાળુઓ તેમની આ સેવા ભાવનાની ખૂબ પ્રશંસા કરે છે. ઘણા ભક્તો દર વર્ષે કેમ્પમાં રોકાઈ આશીર્વાદ આપે છે અને પોતાનું યોગદાન પણ આપે છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો