ડાકોર તરફ જઈ રહેલા પદયાત્રીઓ માટે વિવિધ સ્થળોએ સેવાભાવી સંસ્થાઓ અને દાતાશ્રીઓ દ્વારા નિઃસ્વાર્થ સેવા આપવામાં આવે છે. આવી જ એક પ્રસંશનીય સેવા હાથીજંતી પાસેથી પસાર થતા માર્ગ પર સ્થિત શ્યામ વિલેજ હોટલ દ્વારા છેલ્લા 15 વર્ષથી સતત આપવામાં આવી રહી છે.
ગરમીના સમયમાં લાંબી પદયાત્રા દરમિયાન યાત્રાળુઓને તરસ અને થાકનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિમાં શ્યામ વિલેજ હોટલ દ્વારા દર વર્ષે યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક તરબૂચનું વિતરણ કરવામાં આવે છે. ઠંડક અને તાજગી આપતું તરબૂચ પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.
ડાકોર પદયાત્રા માત્ર ભક્તિનો માર્ગ નથી, પરંતુ સેવા અને માનવતાનો પણ ઉત્તમ દાખલો છે. શ્યામ વિલેજ હોટલ દ્વારા 15 વર્ષથી ચાલી રહેલી આ તરબૂચ વિતરણ સેવા સમાજમાં પરોપકાર અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો