AMCને સૌથી વધુ ₹870 કરોડ, સુરતને ₹770 કરોડની ફાળવણી; CM ભૂપેન્દ્ર પટેલે વિકાસ કામોના ચેક અર્પણ કર્યા
ગુજરાતના શહેરોના સર્વાંગી વિકાસને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને કુલ ₹3,850 કરોડની વિકાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાના પ્રતિનિધિઓને વિકાસ કામો માટે ચેક અર્પણ કર્યા હતા.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાઓને ₹2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને ₹858 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદને સૌથી વધુ ₹870 કરોડફાળવણીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સૌથી વધુ ₹870 કરોડ આપવામાં આવ્યા છે. જ્યારે સુરતને ₹770 કરોડ, વડોદરાને ₹285 કરોડ, રાજકોટને ₹232 કરોડ, ભાવનગર અને જામનગરને ₹105-105 કરોડ, તેમજ જૂનાગઢ અને ગાંધીનગરને ₹65-65 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે.
શહેર વિકાસમાં ગુણવત્તા અને પારદર્શિતાનો આગ્રહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વિકાસ કામો Citizen Centric, Transparent, Accountable અને Technology Driven બને તેવો અનુરોધ કર્યો હતો. તેમણે અધિકારીઓ અને પદાધિકારીઓને વિકાસ કામોની નિયમિત સાઇટ વિઝિટ કરવા અને સરકારી નાણાંનો ગુણવત્તાયુક્ત કામોમાં સદુપયોગ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.CMએ નવા કામોની સાથે જૂના અને પૂર્ણ થયેલા કામોની સ્થિતિની પણ કાળજી રાખવા ભાર મૂક્યો હતો. શહેરોમાં નવા બનનારા રસ્તાઓ RCCના બનાવવા તેમજ શહેરી સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવા પણ સૂચના આપી હતી.
ગ્રીન કવર વધારવા પર ભાર
મુખ્યમંત્રીએ શહેરોને વધુ હરિયાળા અને પર્યાવરણમૈત્રી બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. નવી TP સ્કીમમાં વૃક્ષારોપણ માટે જમીન અનામત રાખવાના નિર્ણયનો અસરકારક અમલ કરવા તેમજ બાગ-બગીચા અને ઓક્સિજન પાર્કના નિર્માણને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું
કનુભાઈ દેસાઈનું નિવેદનશહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારના નેતૃત્વમાં નાણાંના અભાવે શહેરોના વિકાસ કામો અટક્યા નથી. હવે વિકાસ કામો વધુ ગુણવત્તાયુક્ત અને ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને થાય તેની કાળજી લેવી જરૂરી છે.કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલા સહિતના મહાનુભાવો અને રાજ્યની વિવિધ મહાનગરપાલિકા-નગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો