તિરુવનંતપુરમના મેયરે અમદાવાદના વિકાસ મોડલનો અભ્યાસ કર્યો
અમદાવાદ શહેરના સર્વાંગી શહેરી વિકાસ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓના સફળ મોડલને નજીકથી સમજવા માટે કેરળના તિરુવનંતપુરમ શહેરના મેયર શ્રી વી.વી. રાજેશના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે અમદાવાદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અમદાવાદ અને તિરુવનંતપુરમ શહેર વચ્ચે શહેરી વિકાસ અને વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પહોંચેલા પ્રતિનિધિમંડળનું અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, દંડક અતુલ મિશ્રા તેમજ મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને શહેરોના પ્રતિનિધિઓ વચ્ચે શહેરના વિકાસ, નાગરિકોને આપવામાં આવતી સુવિધાઓ, સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને આધુનિક શહેરી આયોજન સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સાબરમતી રિવરફ્રન્ટથી પ્રભાવિત થયું તિરુવનંતપુરમનું પ્રતિનિધિમંડળઅમદાવાદના વેસ્ટ મેનેજમેન્ટ મોડલમાં તિરુવનંતપુરમના મેયરે દાખવ્યો રસ
મુલાકાત દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તિરુવનંતપુરમના પ્રતિનિધિમંડળ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પ્રતિનિધિમંડળે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લઈ પ્રોજેક્ટના આયોજન, વિકાસ, સંચાલન અને શહેરના સર્વાંગી વિકાસમાં તેના યોગદાન અંગે માહિતી મેળવી હતી. રિવરફ્રન્ટ વિસ્તારમાં વિકસાવવામાં આવેલી જાહેર સુવિધાઓ, હરિયાળી, વોક-વે, નાગરિકો માટેના વિવિધ વિસ્તારો તેમજ નદીકાંઠાના વિકાસ અંગે પણ પ્રતિનિધિમંડળે રસપૂર્વક માહિતી મેળવી હતી.આ દરમિયાન પ્રતિનિધિમંડળે શ્રી કેશવ વર્મા સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે સાબરમતી રિવરફ્રન્ટના વિવિધ પાસાઓ, પ્રોજેક્ટના અમલીકરણ અને અમદાવાદના શહેરી વિકાસમાં રિવરફ્રન્ટની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તિરુવનંતપુરમના પ્રતિનિધિઓએ અમદાવાદના રિવરફ્રન્ટ મોડલને સમજવામાં વિશેષ રસ દાખવ્યો હતો.
શહેરી વિકાસ અને કચરા વ્યવસ્થાપન શીખવા તિરુવનંતપુરમનું પ્રતિનિધિમંડળ અમદાવાદમાં
આ ઉપરાંત અમદાવાદની કચરા વ્યવસ્થાપન વ્યવસ્થા પણ મુલાકાતનું મહત્વનું કેન્દ્ર રહી હતી. તિરુવનંતપુરમના મેયર વી.વી. રાજેશ અને પ્રતિનિધિમંડળે અમદાવાદ શહેરમાં દરરોજ ઉત્પન્ન થતા કચરાના વૈજ્ઞાનિક નિકાલ, કચરાના પ્રોસેસિંગ, કચરાના પુનઃઉપયોગ અને સ્વચ્છતા વ્યવસ્થાપન અંગે વિગતવાર માહિતી મેળવી હતી.અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કચરાના વ્યવસ્થિત સંગ્રહથી લઈને તેના પ્રોસેસિંગ અને વૈજ્ઞાનિક નિકાલ સુધી કરવામાં આવતી કામગીરીની રજૂઆત કરવામાં આવી હતી. શહેરમાં કાર્યરત વિવિધ કચરા પ્રોસેસિંગ પ્લાન્ટો, પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અને કચરામાંથી ઉપયોગી સામગ્રીના પુનઃઉપયોગ અંગે પણ પ્રતિનિધિમંડળને માહિતગાર કરવામાં આવ્યું હતું.તિરુવનંતપુરમના પ્રતિનિધિમંડળે અમદાવાદના વેસ્ટ મેનેજમેન્ટ મોડલ અને શહેરની સ્વચ્છતા વ્યવસ્થામાં ઊંડો રસ દાખવ્યો હતો. ખાસ કરીને કચરાના વૈજ્ઞાનિક પ્રોસેસિંગ અને પુનઃઉપયોગની કામગીરી અંગે માહિતી મેળવી હતી.આ સમગ્ર મુલાકાતનો મુખ્ય હેતુ બંને શહેરો વચ્ચે શહેરી વિકાસના અનુભવો અને શ્રેષ્ઠ કામગીરીની પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવાનો રહ્યો હતો. અમદાવાદના વિકાસ મોડલ, સાબરમતી રિવરફ્રન્ટ અને કચરા વ્યવસ્થાપન જેવી કામગીરીને અન્ય શહેરો માટે પણ ઉપયોગી મોડલ તરીકે જોવામાં આવી રહી છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો