નવસારીમાં પૂરપીડિતો માટે ‘સેવા હી સંગઠન’ હેઠળ રાહત કાર્ય.શ્રી રામજી મંદિરે ભોજન પેકેટ તૈયાર કરવાની સેવા.કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા સેવાકાર્યનું નિરીક્ષણ.
નવસારી જિલ્લામાં તાજેતરના પૂરથી પ્રભાવિત પરિવારોની સહાય માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ‘સેવા હી સંગઠન’ અભિયાન હેઠળ રાહત કાર્ય ચાલી રહ્યું છે. આ સેવા પ્રવૃત્તિની મુલાકાત લેવા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારી સ્થિત શ્રી રામજી મંદિર પહોંચ્યા હતા.શ્રી રામજી મંદિર ખાતે ભાજપના કાર્યકર્તાઓ પૂરપીડિતો માટે મોટા પાયે ભોજન પેકેટ તૈયાર કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ સેવાકાર્યનું નિરીક્ષણ કરી કાર્યકર્તાઓના સમર્પણ અને નિઃસ્વાર્થ ભાવનાની પ્રશંસા કરી હતી
.કાર્યકર્તાઓના સમર્પણની પ્રશંસા અને સેવાભાવને બિરદાવ્યો.સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહ્યા હાજર.
આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું કે, “આપત્તિના સમયમાં સેવા આપવી એ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સાચો ધર્મ છે. ‘સેવા હી સંગઠન’ના ભાવ સાથે કાર્યકર્તાઓ રાત-દિવસ પૂરપીડિત ભાઈ-બહેનો સુધી રાહત પહોંચાડવા માટે કાર્યરત છે.”મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ ભુરાભાઈ સહિત ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો