કોમર્શિયલ ગેસના ભાવમાં આશરે 1500 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ વધારાથી નાના વેપારીઓ માટે વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સતત વધી રહેલા ભાવોને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કેન્દ્ર સરકાર પર કડક નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે હાલની મોદી સરકાર દેશના ઈતિહાસમાં સૌથી મોંઘી સરકાર સાબિત થઈ રહી છે, કારણ કે સતત વધતી મોંઘવારીથી સામાન્ય જનતા તેમજ નાના વેપારીઓ પર ભારે બોજો આવી રહ્યો છે.ડૉ. દોશીના જણાવ્યા મુજબ, કોમર્શિયલ ગેસના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનો સીધો પ્રભાવ રેસ્ટોરન્ટ, નાના હોટેલ અને ધાબા ચલાવતા વેપારીઓ પર પડે છે. તેમણે કહ્યું કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોમર્શિયલ ગેસના ભાવમાં સાત વખત વધારો કરવામાં આવ્યો છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. હાલ સ્થિતિ એવી બની ગઈ છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3100 રૂપિયા સુધી પહોંચી શકે છે.તેમણે વધુમાં જણાવ્યું કે માત્ર વર્ષ 2026 દરમિયાન જ કોમર્શિયલ ગેસના ભાવમાં આશરે 1500 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ વધારાથી નાના વેપારીઓ માટે વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે અને તેની અસર સીધી રીતે સામાન્ય ગ્રાહકો પર પણ પડે છે, કારણ કે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થાય છે.
આ સમગ્ર મામલે કોંગ્રેસે સરકારને જવાબદાર ઠેરવી અને મોંઘવારી મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે.
ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ભાવવધારાની ગતિ વધુ તેજ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે આગામી સમયમાં અન્ય ક્ષેત્રોમાં પણ ભાવ વધારો જોવા મળી શકે છે. માર્ચ મહિનામાં ઘરેલું ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વધુ ભાવ વધારો અટકાવવામાં આવ્યો હતો તેવી પણ તેમણે ટિપ્પણી કરી.ડૉ. દોશીએ સરકાર પર આરોપ મૂક્યો કે સત્તામાં આવવા માટે મોંઘવારી ઘટાડવાના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ આજે એ જ સરકાર મોંઘવારી વધારવામાં આગળ છે. તેમણે કહ્યું કે જનતાએ જે આશા રાખી હતી તે સંપૂર્ણપણે ભંગ થઈ છે.આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કે દેશ પાસે ઉપલબ્ધ કોમર્શિયલ ગેસ તેમજ પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે પારદર્શક રીતે માહિતી જાહેર કરવામાં આવે. તેમના કહેવા મુજબ, ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઘટાડો થયો હોવા છતાં તેનો લાભ દેશની જનતાને આપવામાં આવ્યો નથી.ડૉ. દોશીએ આક્ષેપ કર્યો કે સરકારે આ સમયગાળામાં આશરે 35 લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી છે અને તેનો ભાર સામાન્ય નાગરિકો પર નાખવામાં આવી રહ્યો છે. તેમણે ચેતવણી આપી કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં પણ આવનારા સમયમાં વધારો થઈ શકે છે, તેથી જનતાએ તેની તૈયારી રાખવી જોઈએ.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો