ગુજકોમાસોલની 65મી વાર્ષિક સાધારણ સભામાં રજૂ થયેલી કામગીરીના આંકડાઓ સંસ્થાની આર્થિક વૃદ્ધિ સાથે ખેડૂતોના હિત, આધુનિક ખેતી, સહકારી વ્યવસ્થા અને બજાર સાથે જોડાણને વધુ મજબૂત બનાવવાની દિશામાં થઈ રહેલા પ્રયાસોને દર્શાવે છે.
65મી વાર્ષિક સાધારણ સભામાં ખેડૂતોને 20% ડિવિડન્ડનો નિર્ણય; ખાતર, બિયારણ, ટેકાના ભાવે ખરીદીથી લઈને ડ્રોન ટેકનોલોજી સુધી નોંધપાત્ર કામગીરીગાંધીનગર: ગુજકોમાસોલની 65મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં ગુજકોમાસોલ તથા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, વાઇસ ચેરમેન બિપિન પટેલ, કૃષિમંત્રી જીતુ વાઘાણી, જયેશ રાદડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સભામાં ગુજકોમાસોલની વર્ષ 2025-26ની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સંસ્થાએ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી વધુ રૂ. 11,479 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. ગ્રોસ પ્રોફિટ રૂ. 152.63 કરોડ રહ્યો છે, જ્યારે કરવેરા બાદ આશરે રૂ. 60 કરોડનો નફો થયો છે.
વાઇસ ચેરમેન બીપીન પટેલ ગોતા
ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા ગુજકોમાસોલ દ્વારા ચાલુ વર્ષે 20 ટકા ડિવિડન્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સંસ્થાના રિઝર્વ અને અન્ય ફંડમાં રૂ. 61.88 કરોડનો વધારો થયો છે અને રિઝર્વ ફંડ વધીને રૂ. 216 કરોડ સુધી પહોંચ્યું છે.
ખાતર વિતરણમાં 17.59 લાખ મેટ્રિક ટનની કામગીરીખેડૂતો સુધી ખાતર પહોંચાડવામાં ગુજકોમાસોલે નોંધપાત્ર કામગીરી કરી છે. ચાલુ વર્ષે 17.59 લાખ મેટ્રિક ટન ખાતરનું વિતરણ કરવામાં આવ્યું છે.બિયારણ વિભાગ દ્વારા ખેડૂતોને રૂ. 114.79 કરોડનું શુદ્ધ અને સર્ટિફાઇડ બિયારણ પૂરું પાડવામાં આવ્યું છે. બિયારણમાં ગુણવત્તા જળવાય અને ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળી રહે તે માટે સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.ટેકાના ભાવે રૂ. 8,680 કરોડથી વધુની ખરીદીટેકાના ભાવે ખરીદીમાં પણ ગુજકોમાસોલ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કામગીરી કરવામાં આવી છે. સંસ્થા દ્વારા રૂ. 8,680 કરોડથી વધુની કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
ચેરમેન દિલીપ સંઘાની
ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવતી ખરીદીનો હેતુ ખેડૂતોને સીધો લાભ પહોંચાડવાનો છે. ખરીદીમાંથી થતી આવકનો લાભ ખેડૂતોને ડિવિડન્ડના સ્વરૂપે આપવામાં આવે છે.તેમણે કહ્યું કે ભૂતકાળમાં રાજકીય નિર્ણયોના કારણે ખરીદી ન આપવાનો નિર્ણય થયો હતો. જો પુરવઠા નિગમ દ્વારા ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને તેનો સીધો લાભ મળતો નથી, જ્યારે સહકારી સંસ્થા તરીકે ગુજકોમાસોલ ખરીદી કરીને ખેડૂતોના હિતમાં કામ કરે છે.ડ્રોનથી 15 હજાર એકરથી વધુ વિસ્તારમાં છંટકાવખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે રાજ્યભરમાં ડ્રોન ટેકનોલોજી અંગે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 15 હજારથી વધુ એકર વિસ્તારમાં ડ્રોનથી છંટકાવ કરવામાં આવ્યો છે.ટેકનોલોજી આધારિત ખેતીને પ્રોત્સાહન આપીને ખેડૂતોનો ખર્ચ ઘટાડવા અને ખેતીને વધુ આધુનિક બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા 58થી વધારી 60 વર્ષગુજકોમાસોલના કર્મચારીઓના હિતમાં પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.‘ગુજકો’ નામથી નવી બ્રાન્ડ લોન્ચખેડૂતોના ઉત્પાદનોને દેશ-વિદેશના બજારો સુધી પહોંચાડવા માટે ‘ગુજકો’ નામની નવી બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે. આ બ્રાન્ડના માધ્યમથી ખેડૂતોના ઉત્પાદનોને વધુ મોટું માર્કેટ ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે.‘ગુજકો મોલ’ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગર સહિત કુલ 7 મોલ કાર્યરત કરવામાં આવ્યા છે. આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ મોલનો વ્યાપ વધારવામાં આવશે. ગુજરાતમાં કુલ 250 ગુજકો મોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.600 વારની ઓફિસથી 5 વિઘાના ભવન સુધીની સફર : દિલીપ સંઘાણીચેરમેન દિલીપ સંઘાણીએ ગુજકોમાસોલની વિકાસયાત્રા અંગે જણાવ્યું કે જ્યારે તેઓ ચૂંટાઈને ગુજકોમાસોલમાં આવ્યા ત્યારે સંસ્થાની ઓફિસ માત્ર 600 વારની હતી. ખેડૂતની સંસ્થા હોય તો તેની ઓફિસ પણ ભવ્ય હોવી જોઈએ તેવું તેમનું માનવું હતું.આજે ગાંધીનગરમાં ગુજકોમાસોલની ઓફિસ 5 વિઘાના વિસ્તારમાં વિકસાવવામાં આવી છે. આ ભવનની દેશભરની વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.તેમણે કહ્યું કે ગુજકોમાસોલની ઇમારતને કોર્પોરેટ લેવલનું બનાવવામાં આવી છે, પરંતુ સંસ્થાની આત્મા આજે પણ સહકારી જ રાખવામાં આવી છે.સંઘાણીએ વધુમાં જણાવ્યું કે દેશમાં એક એવી સહકારી સંસ્થા તરીકે ગુજકોમાસોલ ખેડૂતોને 20 ટકા ડિવિડન્ડ આપે છે. સંસ્થાનું ટર્નઓવર 200 ટકા વધીને રૂ. 11,479 કરોડ સુધી પહોંચ્યું છે.‘સહકારથી સમૃદ્ધિ’ના સૂત્રને સાકાર કરવાની દિશામાં કામગીરીદિલીપ સંઘાણીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા
**‘સહકારથી સમૃદ્ધિ’**
ના સૂત્રને સાકાર કરવાની દિશામાં સહકારી ક્ષેત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કાયદાકીય અને સંસ્થાકીય સ્તરે પણ અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.મહેસાણામાં એગ્રી લોજિસ્ટિક પાર્કખેડૂતોના ઉત્પાદનોના સંગ્રહ અને માર્કેટિંગને વધુ મજબૂત બનાવવા માટે મહેસાણા ખાતે એગ્રી લોજિસ્ટિક પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. આ પાર્કને ટૂંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે.ગાંધીનગરમાં ગુજકોમાસોલ દ્વારા ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. કોમર્શિયલ દરે કોઈપણ ઈલેક્ટ્રિક વાહન અહીં ચાર્જ કરી શકાશે.
પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટશે નહીં : જીતુ વાઘાણી
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગુજકોમાસોલની કામગીરીને અભિનંદન આપતા જણાવ્યું કે ખાતર, દવા અને બિયારણ ક્ષેત્રમાં સંસ્થાએ સારી કામગીરી કરી છે. ખાસ કરીને સ્પર્ધાના સમયમાં વેલ્યુ એડિશન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.તેમણે કહ્યું કે ગુજકોમાસોલ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર ચાર્જિંગ સ્ટેશન અંગેની પોલિસી જાહેર કરવા જઈ રહી છે અને સહકારી ધોરણે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવે તે માટે તેઓ સૂચન કરશે.પ્રાકૃતિક ખેતી અંગે કૃષિમંત્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવાથી ઉત્પાદન ઘટશે નહીં. રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા આ અંગે સંશોધન કરવામાં આવ્યું છે, તેથી ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી.તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં 34 હજાર મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટ્યો છે.ખેડૂત હોવું આજે ગૌરવની વાત : જીતુ વાઘાણીજીતુ વાઘાણીએ જણાવ્યું કે આજે ખેડૂત હોવું ગુડવિલ અને ગૌરવની વાત છે. ખેડૂતોની પરિસ્થિતિ અગાઉની સરખામણીએ અનેકગણી સુધરી છે. ગુજરાતમાં સિંચાઈની સુવિધામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.રાજ્યમાં 62.73 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થાય છે. રાજ્યના 63 ટકા જેટલા વિસ્તારમાં સિંચાઈની ક્ષમતા ઉપલબ્ધ થઈ હોવાનું જણાવતાં તેમણે આગામી સમયમાં તેમાં પણ વધારો કરવાની વાત કરી.તેમણે કહ્યું કે સરકાર અને સહકારી ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા સકારાત્મક કામોની માહિતી ખેડૂતોના ઘર સુધી પહોંચાડવી જરૂરી છે. એક સમયે ગામડાઓમાં શિક્ષણ અને વીજળી જેવી સુવિધાઓની અછત હતી, પરંતુ આજે સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે.
સહકારી બેંકોને મજબૂત બનાવવાની જરૂર
માઇક્રો એટીએમ જેવી સુવિધાઓ ગામડાં સુધી પહોંચાડવામાં આવી હોવાનું જણાવતાં જીતુ વાઘાણીએ કહ્યું કે શરૂઆતમાં મુશ્કેલીઓ આવી હતી, પરંતુ સહકારી બેંકોને વધુ મજબૂત બનાવવાનો વિચાર આગળ વધારવો જરૂરી છે.તેમણે જણાવ્યું કે કોઈ એક સમૂહના લાભ માટે રાજ્યને નુકસાન ન થઈ શકે. સરકારની નીતિઓમાં આવક-જાવકના બંને પાસા હોય છે અને કોઈ નિર્ણયથી સામાન્ય માણસ પર ભારણ ન પડે તે જોવું પણ એટલું જ જરૂરી છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો